Home National
July 24, 2026

CJP નું મોટું એલાન: 24 જુલાઈએ દેશભરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન, પેપર લીક મામલે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા અપીલ!

Paras Joshi

Author

Post Image

દિલ્હીના જંતર-મંતર પર NEET પેપર લીક અને શિક્ષણ ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ અંગે વિદ્યાર્થીઓનું ધરણાં-પ્રદર્શન સતત ચાલુ છે. આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા એક મોટું એલાન કરવામાં આવ્યું છે. સંગઠને તારીખ 24 જુલાઈના રોજ સમગ્ર દેશમાં વ્યાપક સ્તરે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજવાનું આહ્વાન કર્યું છે. આ સાથે જ CJP એ દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં એકત્રિત થઈને આ આંદોલનને સફળ બનાવવા હાકલ કરી છે.

પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ

આ દેશવ્યાપી પ્રદર્શન મુખ્યત્વે પેપર લીકના કૌભાંડો અને વિદ્યાર્થીઓને સ્પર્શતા વિવિધ પ્રશ્નો તેમજ માંગણીઓને લઈને આયોજિત કરવામાં આવી રહ્યું છે. આંદોલનકારી વિદ્યાર્થીઓ અને સંગઠનો સતત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

 

સોશિયલ મીડિયા પર ડિજિટલ લેટર વાયરલ

CJP એ આ દેશવ્યાપી પ્રદર્શનની માહિતી આપવા માટે એક ડિજિટલ પંપલેટ અને પોસ્ટર જારી કર્યું છે, જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. સંગઠને લોકોને શાંતિપૂર્ણ રીતે એકઠા થઈને પોતાની એકતા દર્શાવવા અપીલ કરી છે. આ આંદોલનમાં મુખ્ય સંદેશ 'Every District. One Day. One Demand.' (દરેક જિલ્લો. એક દિવસ. એક માંગ.) આપવામાં આવ્યો છે. દેશના દરેક જિલ્લામાં એક દિવસ માટે શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાશે, જેનો મુખ્ય હેતુ દેશભરમાં પોલીસ કાર્યવાહીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓ પ્રત્યે એકજુટતા દર્શાવવાનો છે.

સ્થાનિક સ્તરે તૈયારીઓ અને વેબસાઈટ પર SOP ઉપલબ્ધ

આ પ્રદર્શન તારીખ 24 જુલાઈના રોજ યોજાશે. આ માટે તમામ વિદ્યાર્થી સંગઠનો અને સામાજિક સંસ્થાઓને સ્થાનિક સ્તરે વહીવટી મંજૂરી (Permission) મેળવવા અને જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

CJP એ જણાવ્યું છે કે પ્રદર્શન દરમિયાન એકત્રિત થયેલા લોકો સામે વિદ્યાર્થીઓની માંગણીઓ જાહેરમાં વાંચવામાં આવશે. આ કાર્યક્રમને સુચારુ રીતે ચલાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP), પ્રચાર સાહિત્ય અને આવેદનપત્ર (Memorandum) નો ડ્રાફ્ટ સંગઠનની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ડિજિટલ પોસ્ટરના અંતમાં 'ઈન્કલાબ ઝિંદાબાદ' અને 'ભારત માતા કી જય' ના નારાઓ સાથે દેશભરના નાગરિકોને આ શાંતિપૂર્ણ વિરોધમાં જોડાવા આહ્વાન કરાયું છે.